ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનાં રે લક્ષણો જણાવો.

ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનાં રે લક્ષણો જણાવો.

પ્રશ્ન .

ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનાં રે લક્ષણો જણાવો.
અથવા
સામાન્ય રીતે કયા લોકોને ગરીબી રેખાથી નીચે જીવન જીવતા 3 લોકો ગણવામાં આવે છે?
ઉત્તર:
ગરીબીનો અર્થ નીચે પ્રમાણે થાય છે?

  • જેમને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને તબીબી સારવાર (આરોગ્ય) જેવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી ત્યારે સમાજની એ સ્થિતિને ગરીબી કહે છે. ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનાં લક્ષણો નીચે પ્રમાણે છે:
  • જે લોકોને બે ટંક પૂરતું ભોજન ના મળતું હોય.
  • જેમને રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા ન મળતી હોય.
  • જેમને ગંદા વિસ્તારોમાં રહેવું પડતું હોય.
  • જેમની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય.
  • જેમને પોષણયુક્ત આહાર ન મળતો હોય.
  • જેઓ શારીરિક રીતે અશક્ત હોય.
  • જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્યદરથી ઓછું હોય.
  • જેઓ નિરક્ષર હોય.
  • જેઓ સતત અનેક નાના-મોટા રોગોથી પીડાતા હોય.
  • જેમનાં બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય. જેમનાં બાળકોનું મૃત્યુપ્રમાણ ઊંચું હોય.
    સામાન્ય રીતે ઉપર્યુક્ત લક્ષણો ધરાવતા લોકોને ગરીબીરેખાની નીચે જીવતા લોકો ગણવામાં આવે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *