બેરોજગારીનાં કારણો જણાવો.

બેરોજગારીનાં કારણો જણાવો.

પ્રશ્ન .
બેરોજગારીનાં કારણો જણાવો.
ઉત્તર:
ભારતમાં બેરોજગારીનાં કારણો નીચે પ્રમાણે છે :

  • વસ્તીવધારો.
  • શિક્ષિત યુવક-યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન. તેમનામાં ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કે કૌશલનો અભાવ.
  • દેશના ઔદ્યોગિક વિકાસના ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરવામાં મળેલી નિષ્ફળતા.
  • કૃષિક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડો તેમજ ખેતીના વ્યવસાયમાં જોખમનું વધેલું પ્રમાણ.
  • આજના યુવાનોમાં કૃષિ-વ્યવસાય પ્રત્યે ઉદાસીનતા.
  • ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ.
  • ગ્રામોદ્યોગો, કુટિર ઉદ્યોગો અને લઘુઉદ્યોગોની નબળી સ્થિતિ.
  • જ્ઞાતિપ્રથા અને સંયુક્ત કુટુંબની વ્યવસ્થાને કારણે કૌટુંબિક ધંધાને કે પરંપરાગત વ્યવસાયને મળતી પ્રાથમિક્તા.
  • નવા ધંધા-ઉદ્યોગ શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ.
  • યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન, તાલીમ કે અનુભવનો અભાવ.
  • માનવશ્રમની અગતિશીલતા અને તેનું ખામીયુક્ત આયોજન.
  • બચતોના ઓછા પ્રમાણને કારણે નવા મૂડીસર્જનના દરમાં ઘટાડો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *