વિશ્વ-શ્રમબજારનો ખ્યાલ સ્પષ્ટ કરો.

વિશ્વ-શ્રમબજારનો ખ્યાલ સ્પષ્ટ કરો.

પ્રશ્ન .
વિશ્વ-શ્રમબજારનો ખ્યાલ સ્પષ્ટ કરો.
અથવા
વિશ્વ-શ્રમબજાર વિશે વિસ્તૃત નોંધ તૈયાર કરો.
અથવા
વિશ્વ-શ્રમબજારની સવિસ્તર વિગત આપો.
ઉત્તરઃ
વિશ્વના દેશો પોતાના શ્રમિકો-મજૂરોની પરસ્પર આપ-લે કરે, તેને વિશ્વ-શ્રમબજાર’ કહે છે.

  • આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી, વેપારધંધા, ઉદ્યોગ, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે અને શૈક્ષણિક વ્યવસાયોની શોધમાં સ્થળાંતર કરે છે ત્યારે વિશ્વ-શ્રમબજાર ઉદ્ભવે છે.
  • હાલમાં ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને ઉચ્ચ શિક્ષણની પદવીઓ મેળવવા માટે વિકસિત દેશોમાં જવાના વલણમાં અને પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુ શૈક્ષણિક જ્ઞાન અને કૌશલ્ય મેળવવા માટે તેમજ વધુ સુવિધા, વધુ આવક અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન (Brain Drain) એ આંતરરાષ્ટ્રીય સ્તરે થતું બુદ્ધિધનનું સ્થળાંતર છે.
  • મોટા ઔદ્યોગિક એકમો પોતાના ઊંચી લાયકાત, જ્ઞાન અને કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને અદ્યતન જ્ઞાન અને ઉચ્ચ તાલીમ લેવા માટે વિદેશોમાં મોકલે છે, જે એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર ગણાય.
  • આપણા દેશમાંથી બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિઓના તેમજ તાલીમ પામેલ કુશળ કારીગરોના અન્ય દેશોમાં થતા સ્થળાંતર તથા સ્થાયી વસવાટ કરવાના વધતા જતા પ્રમાણને લીધે દેશમાં બુદ્ધિશાળી, ટેકનિકલ અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી પ્રતિભાઓની ભારે ખોટ વર્તાય છે.

Sujeet Jha

Editor-in-Chief at Jaankari Rakho Web Portal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *